કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ બુધવારે વિદ્યાર્થી આંદોલનની જેમ જ વધુ એક પ્રદર્શન ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે તેને ‘જંતર-મંતર સીઝન 2’ ગણાવ્યું. દીપકેએ આરોપ લગાવ્યો, ‘અમે આજે દિલ્હીમાં અમારા સ્વયંસેવકોની બેઠક રાખી હતી. અમે એક હોલ શોધી રહ્યા હતા, પરંતુ કોઈ પણ અમને હોલ ભાડે આપવા તૈયાર નહોતું. બધા લોકો કહેતા રહ્યા કે ઉપરથી દબાણ છે.’ તેમણે આરોપ લગાવ્યો, ‘આ બધા પાછળ BJPનો હાથ છે. આ પ્રકારની કાર્યવાહીથી અમે પીછેહઠ નહીં કરીએ.’ NEET પેપર લીકના મામલે CJPએ જંતર-મંતર પર 37 દિવસ ધરણા પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન 25 જુલાઈએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને માંગણીઓ સ્વીકારી લીધા બાદ સમાપ્ત થઈ ગયું હતું. CJP પ્રવક્તા બોલ્યા- દેશભરમાં થઈ રહ્યા છે પ્રદર્શનો ચીફ સ્પોક્સપર્સન સૌરવ દાસે કહ્યું, ‘કોકરોચ જનતા પાર્ટી હવે દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ શરૂ કરવા જઈ રહી છે, જેથી લોકોની વાત સાંભળી શકાય. તેમણે જણાવ્યું કે પાર્ટી એક કેમ્પેઈન ચલાવશે અને સ્વતંત્રતા દિવસથી શિક્ષણના મુદ્દાને પ્રાથમિકતા આપશે.’ CJI સૂર્યકાંતના નિવેદન બાદ બની કોકરોચ જનતા પાર્ટી ચીફ જસ્ટિસ સૂર્યકાંતે 15 મેના રોજ એક કેસની સુનાવણી દરમિયાન દેશના બેરોજગાર યુવાનોને કોકરોચ કહ્યા. તેમણે કહ્યું- કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેઓ પછીથી મીડિયા, સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરવા લાગે છે. 16 મેના રોજ રાત્રે 12 વાગ્યે અભિજીત દીપકેએ કોકરોચ જનતા પાર્ટી નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું. એક વેબસાઇટ પણ બનાવવામાં આવી. X પર એક ગૂગલ ફોર્મ બહાર પાડવામાં આવ્યું. તેમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ લખેલી એક તસવીર સાથે કેપ્શન હતું- ‘બધા કોકરોચ માટે એક નવું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવી રહ્યું છે. જો તમે જોડાવા માંગતા હો, તો લિંક પર ક્લિક કરો. 17થી 20 મે સુધી કોકરોચ પાર્ટીના ફોલોઅર્સ સતત વધ્યા, પરંતુ 21 મેના રોજ તેના એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા. એ જ દિવસે કોકરોચ ઇઝ બેક નામથી બીજું એકાઉન્ટ બની ગયું. 22 મેના રોજ સૌથી પહેલા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવામાં આવ્યું. 24 મેના રોજ વેબસાઇટ પર ઓનલાઈન પિટિશન બહાર પાડવામાં આવી. આના પર પ્રધાનના રાજીનામાની માંગ કરનારા 10 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

